Monday 29 June 2015

ફૂલ નહિ તો ફૂલની પાંખડી

સીઈએસ એ કરેલા જુન મહિનાના કાર્યક્રમોની  ટુંકી રજૂઆત 

ભગવદ્દ ગીતામાં એક સરસ શ્લોક છે, કર્મણ્યે વા ધીકા રસ્તે માં ફલેષુ કદાચન. કર્મની આશા રાખ્યા વગર કાર્ય કરતા જાઓ ફળ અચૂક મળશે. સીઈએસ મહિનામાં ઘણા બધા સમાજસેવાના  કાર્ય કરી અને બીજી સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

વૃક્ષના  મુળિયા કાપી નાખીએ તો એનું શું અસ્ત્તિવ રહે? પરંતુ તેમ છતાં સમાજમાં કેટલાક લોકો  પોતાના પગ ઉપર કુહાડી મારી અને પોતાને જે સંસ્કાર આપ્યા હતા એવા માં-બાપ ને   વૃધાશ્રમ માં મૂકી આવે છે. જેણે દુનિયાના બધીજ મુશ્કેલીઓને પોતાના દીકરા-દીકરીઓ થી બચાવાના પ્રયત્નો  કર્યા હતા એવા માં-બાપ ને છેવટે વૃદ્ધાશ્રમ નો રસ્તો પકડવો પડતો હોય છે. આવે વખતે તેઓ ખુબ સોરાતા હોય છે. સીએસે તેમને સથવારો આપી અને વૃદ્ધાવસ્થામાં  ટેકો આપ્યો હતો. ઉપરાંત શારીરક રીતે થોડીક  ખોડપણ ધરાવતા બાળકો સાથે સમય કાઢી અને તેમને માનસિક સહારો આપ્યો હતોઅને એજ વખતે એક દંપત્તિ ની  55મી  લગ્નતારીખ ફરીથી ઉજવી હતી. વખતે દરેક ની આંખોમાં ખુશીઓનો પાર રહ્યો નહોતો.  

સમાજને દાખલો બેસે તેવી વાત તો હતી કે ઉજવણી અને ત્યારબાદનું પ્રીતિભોજન  ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન ઇન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનના વિદ્યાર્થી  હર્ષ દલવાડી અને સંસ્થાના સહકારથી આપવામાં આવી હતી. ગયા મહીને 'આનંદ ધામ' ની મુલાકાત થી તે એટલા પ્રભાવિત થઇ ગયા હતા કે માસનો બધો ખર્ચ તેમણે પોતે ઉપાડી લઇ અને  સાચા અર્થમાં વૃદ્ધોનો સથવારો બન્યા હતા

ઉપરાંત જુન મહિના ની શરીઆતમાં ગામડી ખાતે અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યક્રમ પણ યોજાઈ ગયો હતો.આજકાલ અંધશ્રદ્ધાના નામે જે લોકો પૈસા ખંખેરે છે તેનાથી દુર કરવા માટે ની સૌથી સફળ પહેલ હતી. કાર્યક્રમમાં દરેક પ્રયોગ ને વૈજ્ઞાનિક રીતે ચકાસણી કરી અને સિદ્ધ કરવામાં આવ્યું હતું કે અંધશ્રદ્ધા જેવું કઈ નથી. જે સંત લોકો જાદુ કહે છે તેવું કઈ નથી હોતું ખાલી એક આભાસ હોય છે તેમ અંધશ્રદ્ધા  નિર્મુલન કાર્યક્રમની  જાણકારી આપના ડૉ. શ્રી અનિલભાઈ પટેલ કહ્યું હતું

ગાયન,વાદન અને નૃત્ય ત્રણે નો સમન્વય થાય એટલે સંગીતની ઉત્પત્તિ થાય આથી સીઈએસ  એ  શતકોત્સવ ની શરૂઆતમાં સંગીત એકેડમીની શરૂઆત કરી હતી.   સંગીત એકેડેમી દ્વારા  મેં મહિનામાં સુરની સાધના કરી  શકે તે અવસરે એક સંગીત સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.  અને એક મહિના દ્વારા સંગીત ની સાધના થકી કેટલું શીખ્યા તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ડીએનની  સૌથી સંગીતમય જગ્યા જ્યાં સુર દરેક જગ્યાએથી શબ્દોની સુગંધ ફેલાવે છે એવા  મંદિરમાં રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી નીરવભાઈ પટેલ , શ્રી કેતનકુમાર પટેલ હાજર રહ્યા હતાઅને સુરમયી રજુઆતનો  લ્હાવો લેવા માટે અતિથી વિશેષ તરીકે  શ્રી ચિંતન ભાઈ પટેલ કે  જેઓ  ના ડીએનએ માં શાસ્ત્રીય સંગીત વણાઈ ગયું છે  તથા જાણીતા કથક કલાકાર શ્રી ટીના બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  



ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા ઉપરાંત જેમને સંગીત ની કળા હસ્તગત છે અને  બીજાને શિક્ષણ આપ્યું છે તેવા,ગુરુજનો જેમણે  આખા મહિના દરમ્યાન સંગીતના સૂરોથી જાણકાર કર્યા  હતા તેમને સર્ટીફીકેટ અને સન્નમાનીત કરવામાં આવ્યા હતા



સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વાક્યને સાર્થક કરવા અને સ્વચ્છતા અભિયાન ને આગળ વધારવા માટે સીઈએસ  24 જેટલી પ્રતિમાઓ ને સ્વચ્છ કરી અને સુતર ની આંટી  પહેરાવી હતી. વખતે સંસ્થાના ચેરમેન શ્રી નીરવ ભાઈ અને મંત્રી શ્રી કેતન કુમાર બહુ સરસ વાત કરી હતી કે સ્વચ્છ સમાજ નાં  નિર્માણમાં  ઝાઝી વાર નહિ લાગે કારણકે હવે યજ્ઞમાં લોકભાગીદારી  વણમાંગી મળી ગઈ છે.



યોગ એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, યોગ એ ભોગ મુક્ત્તી નું સાધન છે,એ વાત ઘણા વર્ષોથી લોકો  જાણે છે. અને સૌથી પહેલા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સીઈએસ એ પણ તેમાં સહકાર આપ્યો હતો. શાળાના  75 એનસીસી  નાં વિદ્યાર્થીઓ એ યોગ દિવસ નિમિત્તે જુદા જુદા યોગાસનો દ્વારા  યોગ  જ્ઞાન નો પરિચય આપ્યો હતો.
આમ જુદા જુદા કાર્યક્રમો થી જુનમાં લાગણી નો દરિયો ઉભરાઈ જાય એટલા સારા પ્રતિભાવ પ્રાપ્ત થયા હતા બદલ ચરોતર એજ્યુકેશન સોસાયટી આપ સર્વે લોકોનો આભાર વ્યક્ત કરે છે.


0 comments:

Post a Comment